Saturday, 21 January 2017

"જાણો સ્વાસ્થ્ય ને સારું બનાવવાની અસરકારક ટીપ્સ"

"જાણો સ્વાસ્થ્ય ને સારું બનાવવાની અસરકારક ટીપ્સ"

આપણા ઘરમાં આપણી દરેક તકલીફ અને બીમારી માટે ઔષધીઓનો ખજાનો રહેલો છે. બસ જરૂર છે તો તેને જાણીને તેનો યોગ્ય રીતે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાની, પરંતુ આજકાલ લોકો નાની-નાની સમસ્યાઓ માટે પણ ડોક્ટર પાસે દોડી જતા હોય છે.
Follow 👉 Sidhdhrasinh Gohil 

જોકે વધારે પ્રમાણમાં એલોપેથી દવાઓનો સહારો એવો સ્વાસ્થ્ય માટે અત્યંત નુકશાનદાયક છે. વેલ, ચાલો જાણીએ એવી જરૂરી ટીપ્સ જે છે આપણા સ્વાસ્થ્ય માટે છે એકદમ ઠીક.

પેટમાં આવતી ચૂક

આ સમસ્યા ને દુર કરવા માટે બે ગ્રામ મેથીનું ચૂરણ દહીં સાથે લેવાથી આ બીમારી દુર થશે.

પેટની બળતરા

ખજુરનું જ્યુસ પીવાથી આ સમસ્યા દુર થશે.

વારંવાર આવતી હેડકી

નવશેકું પાણી પીવાથી હેડકીનો પ્રોબ્લેમ દુર થશે.

વારંવાર થતી ઉલટી

દાડમના દાણાના એક કપ જેટલા રસમાં અડધી ચમચી મસુરનો શેકેલો લોટ નાખી પીવાથી ઉલટીની સમસ્યા દુર થશે.

ત્વચાની અશુદ્ધિઓ દુર કરવા

આ તકલીફ માટે મહિલાઓ એ મહિનામાં એક વાર મોઢા પર ફેશિયલ કરાવવાની જરૂર છે. આમ કરવાથી ત્વચાની અશુધ્ધિઓ દુર થશે.

સંધિવાનો દુઃખાવો

રાઈના તેલમાં ચમચી જેટલો ઓનિયન રસ ભેળવીને પીવાથી સંધિવાનો દુઃખાવ દુર થશે.

કમજોરી ના કારણે આવતા ચક્કર

મરીનું ચૂરણ ધી અને સાકારમાં નાખીને લેવાથી આ સમસ્યા દુર થશે.

ગરમ પાણીથી દાઝવું

જો ગરમ પાણીથી ક્યારેક દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ નાખવો.

મોં માં આવતી વાશ

આ સમસ્યા માટે તમે વરીયાળીનું જ્યુસ પી શકો છો. ઉપરાંત દાડમ ની છાલ પણ ચાવી શકો છો.

પીળા દાંત દુર કરવા

મીઠું અને ખાવાનો સોડા દાંત પર ઘસવાથી પીળા દાંત દુર થશે.

* પેટમાં થતા દુઃખાવાને રોકવા માટે એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને તેમાં ચપટી મીઠું, ચપટી પીસેલું જીરું અને ચપટી પીસેલ અજમા નાખીને પીવાથી પેટનો દુઃખાવો દુર થાય છે.

* મધ અને લીંબુના રસથી શરદી અને તાવ માં રાહત મળે છે. લગભગ એક ચમચી લીંબુના રસમાં બે ચમચી મધ મેળવીને એક ગ્લાસ હુંફાળા પાણીમાં નાખીને કે ગરમ દૂધમાં મેળવીને પીવું. આને પીવાથી શિયાળામાં તમારું સ્વાસ્થ્ય ઠીક બની રહેશે.

* તુલસી ના પાન નો રસ, આદુનો રસ અને મધ ને બરાબર માત્રામાં મેળવીને ૧-૧ માત્રામાં દિવસમાં ૩ થી ૪ વાર પીવાથી શરદી, તાવ દુર થાય છે.

* રોજ સવારે અને સાજે ભોજન કર્યા બાદ થોડી માત્રામાં વરીયાળી ખાવાથી લોહી સાફ થાય છે. આનાથી ત્વચાનો રંગ પર ગોરો થાય છે.

* શિયાળામાં ફેસની ત્વચા ઠંડીને કારણે સુષ્ક/ફાટી જાય છે આના માટે નારિયેળના તેલ માં હળદર અને બેકિંગ સોડા મેળવીને પેસ્ટ લગાવતા પહેલા લીંબુને મોઢા પર થયેલ કાળા દાગ-ઘબ્બા પર લગાવ્યા બાદ આને ફેસ પર લગાવવું.

* જો પેશાબ માં બળતરા થાય તો ભીંડાનું શાક વધારે ખાવું. આના સેવનથી આ સમસ્યા દુર થશે.

* જમરૂખ માં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. આના નિયમિત સેવનથી કબજીયાત જેવી સમસ્યા દુર થાય છે. આના સિવાય પેટના ખરાબ કીડાઓ પણ દુર થાય છે.

* હળદર અને મીઠાને સરસવ ના તેલમાં મેળવો. આને પ્રતિદિન ૨ થી ૪ વાર દાંતો પર ઘસવાથી દાંતના કીડાઓ દુર થશે.

* ટામેટાના સેવનથી દાંતો અને હાડકાની કમજોરીઓ દુર થાય છે.


No comments:

Post a Comment