Tuesday, 21 February 2017

RTE નિયમ મુજબ પ્રવેશ માટે ના નિયમો

વિદ્યાર્થીઓ/વાલીઓ માટે સુચનાઓ

વધુ માહિતી 👉 સિધ્ધરાજસિંહ ગોહિલ

1. પ્રવેશ ફોર્મ ભરતા પહેલા તમામ સુચનાઓ કાળજીપૂર્વક વાંચવાની
રહેશે.
2. www.rtegujarat.org વેબસાઇટ પર ઓન-લાઇન પ્રવેશ ફોર્મભરવાનુ
રહેશે.
3. ઓન-લાઇન પ્રવેશ ફોર્મમાં * ની નીશાનીવાળી વિગતો ફરજીયાત ભરવાની
છે.
4. પ્રવેશફોર્મમાં ભરવાની વિગતો આધાર પરુાવા મુજબ ચોકસાઇવાળી
ભરવાની રહેશે.
5. પ્રવેશફોર્મ ભરવા સબંધી વધુજાણકારી વેબસાઇટ ઉપર આપેલા
રીસીવીંગ સેન્ટરના હેલ્પ ડેસ્ક ઉપર પૂછપરછ કરી શકાશે.
6. પ્રવેશફોર્મમાં  સંપૂર્ણ વિગતો ભરાઇ ગયા પછી કમ્ફર્મ કરીને પ્રિન્ટ કાઢવાની રહેશે.
7. ફોર્મ કન્ફર્મ ના થાય તયાાં સધુી એડીટ(સધુારા) થઇ શકે છે. ફોર્મ નં.
અને જન્મતારીખ એન્ટર કરી ફોર્મ એડીટ થઇ શકે છે.
8. કન્ફર્મ કર્યા બાદ ફોર્મ માં કોઈ ફેરફાર થઇ શકશે નહી તેથી તમામ
માહીતી ચકાસી અને પછી જ કન્ફર્મ કરવુ અને પ્રિન્ટ મેળવવી.
9. પ્રિન્ટ  મેંળવેલ પ્રવેશફોર્મમાં ચકાસણી કરતા કોઇ ક્ષતી જણાય તો નવુ
ફોર્મ ભરવાનુાં રહશે. નવુ ફોર્મ ભરવાથી આપનુ અગાઉનું ફોર્મ રદ થશે .
10. પ્રિન્ટ મેંળવેલ ફોર્મમાં આપેલ  યાદી મુજબના દસ્તાવેજી પૂરાવાઓ ક્ર્મનુસાર સ્વ-પ્રમણિત નકલો સાથે  નીયત કરેલ રીસીવીંગ સેન્ટર ઉપર જમાં કરાવી શકાશે.
11. આપના પ્રવેશફોર્મ સબંધીત  જીલ્લા/તાલકા/વીસ્તારના રીસીવીંગ સેન્ટર પર આપી પ્રવેશ ફોર્મ જમાં  કરાવ્યાની પહોંચ મેળવી લેવાની રહેશે.
12 પ્રવેશફોર્મ કન્ફર્મ થયા અંગેની  જાણ વાલીને પ્રવેશફોર્મમાં જણાવેલ  મોબાઈલ નબર/ઈ મેઈલ અડ્રેસ લ પ SMS/Email દ્વારા જાણ કરવામાં આવશે.
13 પ્રવેશ થયા બાદ પ્રવેશપત્ર  ડાઉનલોડ કરવા અંગેની સુચના વર્તમાનપત્રો દ્વારા તથા વેબસાઈટ પર  જાહેર કરવામાં આવશે.
14  પ્રવેશ થયા અંગેની જાણ  વાલીના મોબાઈલ નબર પર SMS  થી જાણ કરવામાં આવશે. તથા  વેબસાઈટ પરથી પ્રવેશપત્ર સમયમર્યાદામાં ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી,
જે તે સંબંધિત શાળામાં અસલ  દસ્તાવેજો જમા કરાવી વાલીએ  પોતાના પ્રવેશ નિશ્ચિત કરાવી લેવાનો  રહેશે.
15. સમયમર્યાદામાં પ્રવેશપત્ર  ડાઉનલોડ કરી સબંધીત શાળામાં પ્રવેશ નિશ્ચિત કરાવવામાં નહીં આવે  તો આપેલ પ્રવેશપત્ર આપોઆપ રદ  ગણાશે.
16. પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ અયોગ્ય ઠરશે તે સજોગોમા પ્રવેશ અમાન્ય ઠરશે તથા કાયદાકીય નીયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે

No comments:

Post a Comment